જીવન સીમિત છે અને જ્યારે તેનો અંત આવશે, ત્યારે આ દુનિયાની કોઈ પણ વસ્તુ તેની સાથે જશે નહીં.
🥳
તો આવી પરિસ્થિતિમાં પેટ કાપીને, કંજૂસાઈ કરીને બચત શું કામ કરવી જોઈએ.?? જરૂરિયાત મુજબ ખર્ચ કેમ નથી કરતા.?? જે સારી બાબતોમાં આનંદ મળે છે, તેવા કામો અવશ્ય કરવા જ જોઈએ.
🥳
આપણા ગયા પછી શું થશે, કોણ શું કહેશે તેની ચિંતા છોડો, કારણ કે શરીર પાંચ તત્વોમાં ભળી ગયા પછી કોઈ વખાણ કરે કે કોમેન્ટ કરે તો શું ફરક પડે છે.??
🥳
પથારી વશ થતાં જીવનનો આનંદ માણવાનો અને મહેનતની કમાણી વાપરવા નો સમય વીતી ગયો હશે..
🥳
તમારા બાળકોની જરૂરિયાતો વિશે વધુ ચિંતા કરશો નહીં..તેમને પોતાનો રસ્તો શોધવા દો. તેમને પોતાનું ભવિષ્ય બનાવવા દો.
સંતાન ની ઈચ્છાઓ, મહત્વકાંક્ષાઓ અને સપનાઓ ના ગુલામ ના બનો.
🥳
બાળકોને પ્રેમ કરો, તેમની સંભાળ રાખો, તેમને ભેટો પણ આપો, પરંતુ તમારી પોતાની આકાંક્ષાઓ પર પણ કેટલાક ખર્ચાઓ જરૂર કરો.
🥳
જન્મથી મૃત્યુ સુધી ફક્ત દુઃખ જ સહન કરવું એકમાત્ર રસ્તો નથી. આ બાબત ધ્યાનમાં રાખો.
🥳
તમે ૬ દાયકા પૂર્ણ કર્યા છે, હવે જીવન અને આરોગ્ય સાથે રમીને પૈસા કમાવવા એ અયોગ્ય છે, કારણ કે હવે પૈસા ખર્ચ્યા પછી પણ તમે સ્વાસ્થ્ય ખરીદી શકવાના નથી.
🥳
આ યુગમાં બે પ્રશ્નો મહત્વના છેઃ
પૈસા કમાવવાનું કામ ક્યારે બંધ કરવું
અને
બાકીના જીવન માટે કેટલા પૈસા સુરક્ષિત રીતે રાખવા.
🥳
તમારી પાસે હજારો એકર ફળદ્રુપ જમીન હોવા છતાં પેટ ભરવા માટે કેટલું અનાજ જોઈએ? જો તમારી પાસે ઘણાં ઘરો છે, તો પણ તમને રાત્રે સૂવા માટે માત્ર એક જ રૂમની જરૂર છે.
🥳
જો કોઈ દિવસ આનંદ વિના પસાર થાય, તો તમે તમારા જીવનનો એક દિવસ ગુમાવ્યો છે. અને જો એક દિવસ આનંદમાં વિતાવ્યો હોય, તો એ દિવસ તમે કમાયા છો, આ ધ્યાનમાં રાખો.
🥳
બીજી એક વાત:
જો તમે રમતવીર છો અને ખુશમિજાજ છો, તો પછી ભલે તમે બીમાર હોવ, પણ તમે જલ્દી સ્વસ્થ થઈ જશો અને જો તમે હંમેશા ખુશખુશાલ રહેશો, તો તમે ક્યારેય બીમાર થશો નહીં.
🥳
સૌથી મહત્વની વાત એ છે કે તમારી આસપાસ જે કંઈ સારું છે, તે શુભ છે, ઉત્કૃષ્ટ છે, તેનો આનંદ લો અને તેની કાળજી લો.
🥳
તમારા મિત્રોને ક્યારેય ભૂલશો નહીં. તેમની સાથે હંમેશા સારા સંબંધો રાખો. જો આમાં સફળ થશો, તો તમે હંમેશા હૃદયથી યુવાન રહેશો અને દરેકને પ્રેમ કરશો.
🥳
તમારા મિત્રો ના હોય તો તમે એકલા પડી જશો અને આ એકલતા બહુ ભારે પડશે.
🥳
તો વ્હોટ્સએપ દ્વારા દરરોજ સંપર્કમાં રહો, હસતા રહો, એકબીજાના વખાણ કરો.. જેટલો આનંદ છોડ્યો છે તેટલો આનંદ કરો.
🥳
પ્રેમ અને સ્નેહ મધુર છે, તેની મધુરતા માણો.
🥳
ગુસ્સો જીવલેણ છે. તેને હંમેશ માટે જમીનમાં દાટી દો.
🥳
પર્વત-શિખર ઓળંગીને ઞયેલો સૂરજ પાછો આવે છે, પણ હૃદયમાંથી દૂર થયેલા પ્રિયજનો પાછા આવતા નથી.
🥳
સંબંધોનું ધ્યાન રાખો, બધા વચ્ચે આદર અને પ્રેમ વહેંચો. જીવન ક્ષણિક છે, તેનો અંત ક્યારે આવશે તેની તમને ખબર પણ નથી. તો આનંદ કરો.
🥳
મિત્રતા નિયમિત સેનેટાઇઝ કરી સુરક્ષિત રાખો.
No comments:
Post a Comment