Saturday, June 21, 2025

Our Pride our Daughter in law

 'અમારી વહુ - અમારું ગૌરવ !'

🎊🎊♥️🎊🎊


 એક સાંજે અમે ઘરના બેઠક ખંડમાં  બેઠા હતા અને પરસ્પર વાતો કરી રહ્યા હતા.

 મારી બહેને એવો એક પ્રશ્ન પૂછ્યો કે જેણે બધાને વિચારતા કરી દીધા.


 તેણે પૂછ્યું : ભાઈ, તમે કહી શકો કે વૃદ્ધાવસ્થામાં સાચો આધાર કોણ ?..... પુત્ર કે પુત્રી ?


 મેં હળવા સ્મિત સાથે ઉત્તર આપ્યો કે આ પ્રશ્ન ખૂબ જ સંવેદનશીલ છે.  આનો ઉત્તર કેટલાકને સુખી કરી શકે છે અને કેટલાકને દુઃખી કરી શકે છે.


 પરિવારના બાકીના સભ્યોએ પણ આ પ્રશ્નનો ઉત્તર જાણવાનો આગ્રહ કર્યો કે ના ના હવે તો વિગતવાર ઉત્તર આપવો પડશે!


 ...પછી મેં કહ્યું,

 જો તમે બધા ખરેખર જાણવા માંગતા હો તો સાંભળો :

 વૃદ્ધાવસ્થામાં સાચો સહારો પુત્ર કે પુત્રી નથી, પરંતુ 'પુત્રવધૂ' છે.


 મારી વાત સાંભળીને બધાને થોડું આશ્ચર્ય થયું !


 મેં મારી વાત વધુ વિગતવાર સમજાવી: આપણે હંમેશ સાંભળ્યું છે કે દીકરા-દીકરી વૃદ્ધાવસ્થાની લાકડીઓ છે.


  વાસ્તવમાં પુત્રના લગ્ન થાય છે અને પુત્રવધૂ ઘરમાં આવે છે ત્યારે ધીમે ધીમે વડીલોની ઘણી ખરી સંભાળ પુત્રવધૂના ખભા પર આવી જાય છે.  આમ પુત્રવધૂ તેમની વૃદ્ધાવસ્થામાં માતાપિતા (સાસુસસરા)નો સાચો સહારો બને છે.


 મેં જોયું કે બધાં વાત ધ્યાનથી સાંભળી રહ્યા છે.  મેં વાત ચાલુ રાખી અને કહ્યું, 'પુત્રવધૂ' એ છે કે જેને તેના સાસુ અને સસરાની ટેવો અને દિનચર્યા વિશે સંપૂર્ણ માહિતી હોય.  તે જાણે છે કે સાસુ-સસરાને સવારે કેવા પ્રકારની ચા ગમતી હોય છે અને કયા સમયે ભોજન જોઈએ છે.   સાસુ અને સસરા બીમાર પડે ત્યારે પુત્રવધૂ જ તેમની સંભાળ રાખીને કર્તવ્ય નિભાવે છે.


 સહુ ધ્યાનથી સાંભળી રહ્યા હતા.

 મેં વધુ વિગતવાર સમજાવ્યું કે  પુત્રવધૂ એક દિવસ પણ બીમાર પડે તો આખું ઘર ખોરવાઈ જાય છે.   દીકરો દસ પંદર દિવસ ઘરે ન હોય તો પણ ઘર સરળતાથી ચાલતું રહે છે. આનું કારણ એ છે કે ઘરની અસલી ધરી પુત્રવધૂ છે.


 પુત્રવધૂ વિના સાસરિયાંને એમ લાગે છે કે જાણે તેમનો સહારો છીનવાઈ ગયો છે.  તેઓ ચાથી લઈને ભોજન સુધીની તેમની નાની નાની આવશ્યકતા માટે સમસ્યાનો સામનો કરવા લાગે છે.  દીકરા પાસે એટલો સમય નથી કે તે પોતાના વડીલોની બધી ટેવો અને આવશ્યકતાઓ સમજી શકે.   પુત્રવધૂ આ બધી બાબતો સહજ અને સારી રીતે જાણે છે.


 મારી વાત સાંભળીને બહેન વિચારમાં ખોવાઈ ગઈ.


  મેં આગળ કહ્યું કે મેં ઘણી પુત્રવધૂઓ જોઈ છે કે જેમણે તેમની માંદગી દરમિયાન સાસુ-સસરાની હૃદયથી સેવા કરી છે.  તેથી જ સ્તો હું માનું છું કે સાચો સહારો પુત્રવધૂ છે.


 મેં બીજી એક અગત્યની પણ  વાત ઉમેરી કે સાસુ અને સસરાએ પણ પોતાના વિચારો થોડા બદલવા પડશે. જો તેઓ 'મારો વહાલો દીકરો' અને 'મારી વહાલી દીકરી' ને બદલે 'મારી વહાલી વહુ' કહેતા શીખી જાય તો કદાચ પુત્રવધૂનો તેમના પ્રત્યેનો આદર અને પ્રેમ અનેકગણો વધી જાય !


  .......તેથી, માત્ર પુત્રવધૂની ખામીઓ પર ધ્યાન કેન્દ્રિત ન કરો, તેના સારા ગુણોને પણ ઓળખો.


 આજનો સંદેશ :


 ....... તમારી પુત્રવધૂના બલિદાન અને સમર્પણને ધ્યાને લો.  તમે  પુત્ર કે પુત્રીને દત્તક લો છો તેવી જ રીતે તેને દત્તક લો !


 આપણે ગર્વથી કહીએ છીએ કે 

'મારી દીકરી - અમારું ગૌરવ' , 

એ જ રીતે 

ગર્વથી કહેવાનો પ્રયત્ન કરો,

 'મારી વહુ - અમારું ગૌરવ !'

🍃🍂🍃🍂🍃🍂🍃🍂


 આ સમગ્ર પ્રક્રિયા ધીરજ, સંવેદના અને વિવેક માગી લે છે.

અને,

 એટલે જ તો ભારતીય પરિવાર એક પાઠશાળા પણ છે.


No comments:

Post a Comment

Time Value "સમય નથી"

                               "સમય નથી" બાર કલાકની મુસાફરી ચાર કલાક થઈ ગઈ છે, છતાં એક માણસ કહે છે - સમય નથી બાર લોકોનો પરિવાર બે ...